શ્રાધના દિવસો પૂરા થયા ને આપણે નવરાત્રિના રંગમાં રંગાવા તૈયાર થયા.
એક મિનિટ, જરા નવરાત્રિનો અર્થ,મહિમા અને માહતમ્ય જાણીશું.
નવરાત્રિ દરમ્યાન આપણે માતાનું ભાવ પૂર્વક પૂજન કરીએ છીએ. બાળકો
એટલે આપણે સર્વે તેની આરતિ ઉતારીએ છીએ. માતા ને ભાવતી સામગ્રી
લાવી,સુંદર મિઠાઈ બનાવી તેને આરોગવાની દિલથી પ્રાર્થના કરી. તે સર્વેનો
પ્રસાદ રૂપે આપણે લહાવો માણીએ છીએ. માતા આપણને પ્રસાદની સાથે
અંતરના આશિષની વર્ષા કરે છે.
૧. માતાના શુભ આશિષથી આ સૃષ્ટિમાં આનંદ મંગલ પ્રવર્તે છે.
૨. માતા તેં મને ગર્ભમાં ધારણ કરી મારું પોષણ કર્યું.
૩. બાળપણમાં રમકડાઓથી ઘેરાઈને તારું કહ્યું ન સાંભળ્યું.
૪. મને ભણવામાં રસ ન હતો, તેં કેળવી મને સદબુધ્ધિ અર્પિ.
૫. તારો નિર્વ્યાજ પ્યાર હું કેવી રીતે વિસારું.
૬. મારી માંદગી દરમ્યાન તેં દિવસ કે રાતની પરવા ન કરી.
૭. તારો પ્રેમાળ સાદ મારા કાનમાં ગુંજે છે.
૮. તને હંમેશ મારામાં સારું જ દેખાયું છે.
૯. આવી હ્રદયની વિશાળતા માત્ર આ દુનિયામાં તારામા છે.
૧૦. મિત્રો અને સગા મળવા આસાન છે, તારા જેવી મા દુર્લભ.
૧૧. ‘માતૃ દેવો ભવ’ એ મારો મંત્ર છે.
૧૨. મને માતા તારામાં ભગવાનના દર્શન થાય છે.તેથી દુનિયા સારી છે.
૧૩. માતા હું હમેશા તારા ગુણોની પ્રશંશા કરીને તારી સેવામાં હાજર છું.
૧૪. મા હું તારા ઉપકારનો ઋણી રહી તરામાં ખૂબ શ્રધ્ધા ધરાવું છું.
૧૫. મા હરહમેશ તારામય રહી તારા આશિર્વાદ પામું તેવી અભ્યર્થના.
મિત્રો, નવરાત્રિને સાચા અર્થમાં સમજી ને ઉજવીએ.
ચાલો પછી તમને હું લખેલા રાસની રમઝટમાં લઈ જઈશ.
રાસ રમવા આવો ત્યારે ડાંડિયા લાવવાનું ભૂલતા નહી.
કાલીમાતા, અંબામાતા, દુર્ગામાતાને પ્રણામ.