વૈભવ અને આનંદમા બિરાજમાન ગણેશ આજે વિદાય થયા.
મંગલતા સર્વે દિશામા વ્યાપી હતી. સુનું સુનું લાગતું હશે. પરંતુ
ગણપતિ કાયમ બિરાજમાન છે.
પ્રતિક રૂપે આપણે તેમનું વિસર્જન કરીએ છીએ. હા, તેમની
હસ્તી સ્થૂળ યા સુક્ષ્મ રૂપે સદા પ્રવર્તવાની.
શુભકર્તા, વિઘ્નહર્તા કદી વિદાય લઈ શકે? ચાલો ત્યારે હવે તેમને
( ગણપતિ બાપાને) દિલમાં સ્થાપી આવી રહેલ શ્રાધ્ધના દિવસોમાં
આપણાથી વિજોગ પામેલાં સ્નેહીજનોને યાદ કરી તેમને અશ્રુના
યા સાચા બે ફુલ અર્પણ કરીએ.
ઈશ્વર તેમને જ્યાં પણ હોય ત્યાં ક્ષેમકુશળ રાખે.