ખુશી શું બજારમા વેચાતી મળે છે?
શું આપણે ખરેખર ખુશ છીએ?
શું પતિ યા પત્ની એકબીજાને ખુશ રાખી શકે છે?
ખુશી એ જીવન પ્રત્યેનો ખુદનો અભિગમ છે.
પતિ પત્ની એકબીજાના સાન્નિધ્યમા પ્યારનો અહેસાસ માણે છે.
ખુશી વ્યક્તિ પર નિર્ભર નથી.
ખુશી સંજોગોની ગુલામ નથી.
વ્યક્તિ ,સંજોગો, સ્થળ, સમય બધું બદલાય છે.
શરત અને અપેક્ષા વગરનો પ્રેમ ખુશી બક્ષે છે.