યોગ સાધના——૧૧
સૂત્રઃ ૪૬ તા એવ સબીજઃ સમાધિઃ
ता एव सबीजः समाधिः
સંપૂર્ણ સંયમ હોવા છતાં પણ આસક્તિ અને ઈચ્છાના બીજ
મનની ભિતર રહી ગયા હોય છે. ઈચ્છાના આ અંકુર ઘણા
ભયાવહ હોય છે. મુક્તિ નજદિક છે. સાધક એવી સ્થિતિ પર
પહોંચ્યો છે કે તેનું પતન થઈ ન શકે.
સૂત્રઃ ૪૭ નિર્વિચાર વૈશારદ્યે-અધ્યાત્મપ્રસાદઃ
निर्विचार वैशारद्ये-अध्यात्मप्रसादः
નિર્વિચાર સમાધિ ને પામ્યા પછી મન
શુધ્ધ (પવિત્ર) બની જાય છે.
સૂત્રઃ ૪૮ ઋતમ્ભરા તત્ર પ્રજ્ઞા
ऋतम्भरा तत्र प्रज्ञा
સમાધિના આ તબક્કે જ્ઞાન સત્ય સભર
હોય છે. ( સત્યથી પરિપૂર્ણ)
સૂત્રઃ ૪૯ શ્રુતાનુમાનપ્રજ્ઞાભ્યામન્યવિષયા વિશેષાર્થત્વાત
श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात
ઋષિ પતાંજલી કહે છે જ્ઞાન બે પ્રકારનું છે. ઈંદ્રિયોના
નિગ્રહ અને સાધના મારફત. યા તો આપણા વેદ યા
પૌરાણિક શાસ્ત્રો દ્વારા. જ્ઞાન જે સમાધિ દ્વારા પ્રાપ્ત
થયુ છે તે ઉચ્ચ કોટીનું છે.
સૂત્રઃ ૫૦ તજ્જઃ સંસ્કારો-અન્યસંસ્કારપ્રતિબન્ધી
तज्जः संस्कारो-अन्य्संस्कारप्रतिबन्धी
સમાધિ દ્વારા મેળવયેલા સંસ્કાર, પૂર્વેના
સઘળાં સંસ્કાર ભૂંસી નાખે છે.
સૂત્રઃ ૫૧ તસ્યાપિ નિરોધે સર્વનિરોધાન્નિર્બીજઃ સમાધિઃ
तस्यापि निरोहे सर्वनिरोधान्निर्बीजः समाधिः
જ્યારે સમાધિ દ્વારા પડેલા સંસ્કાર, પૂર્વેના
સઘળાં સંસ્કાર ભૂંસી નાખે છે ત્યારે મન વિચાર
રહીત અવસ્થા માં પ્રવેશી “નિર્બીજઃ” અવસ્થા ને
પ્રાપ્ત કરે છે.
अस्तु
समाधिपाद संपूर्णः
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद दुःखभागभवेत
ॐ शांतिः शांतिः शांतिः