“સાહિત્ય સરિતા” હ્યુસ્ટન્મા છેલ્લા દસ વર્ષથી મઘમઘી રહી છે. સાહિત્ય રસિકોનો અનેરો ઉત્સાહ, તેમની પ્રવ્રુત્તિ,
લખાણો, કાવ્યો, અનુભવો અને સર્જન શક્તિનો અંદાઝ કળવો મુશ્કેલ છે. દર મહિને નિયમિત મુલાકાત, યજમાનોની
પ્યાર ભરી પરોણાગત અને સર્જકોની નવિન રચનાઓનો આનંદ માણવા સહુને પ્યાર ભર્યું આમંત્રણ છે.
“મેં માર્યા ને મેં પુકાર્યા” અર્થાત સ્વની પ્રશંશા અનુચિત સમજી વધુ ન લખતા ટુંકમાં જ વિરમું છું.
નવિન પુસ્તકોનું પ્રકાશન, નવોદિત તથા નામાંકિત કવિઓનું સમ્માન કરવામાં હંમેશા મોખરે એવું અમારું વ્રુંદ
ખૂબ દાદ માગી લે છે. વિજય શાહ રચીત ‘પૂજ્ય મોટાભાઈ’ નું નાટકીય કરણ એક નવિન અભિગમ હતો. જે
સફળ પૂરવાર થયો. ‘શેર અંતાક્ષરી’નો દાખલો જડબે સલાક પૂરવાર થયો. આશા છે આ બધી પ્રવ્રુત્તિઓ આપને
ગમી હશે.
એક રસિક મિત્રનું મંતવ્ય. પ્રવિણા અવિનાશ કડકિઆ.