યોગ સાધના—૫
સૂત્રઃ ૧૬ તત્પરં પુરૂષખ્યાતેર્ગુણવૈતૃષ્ણયમ
तत्परं पुरूषख्यातेर्गुणवैतृष्ण्यम
આત્મજ્ઞાનથી કુદરતના અસ્તિત્વ વિશે
જાણવા ઉત્કંઠા રહેતી નથી. એ શહુથી
ઉત્તમ અનાસક્તિ છે.
અનાસક્તિ એ સ્વાર્થ વૃત્તિ નથી. આત્માની
પહેચાન એટલે અહંકાર અને ‘હું’ પણાનો ત્યાગ.
સૂત્રઃ ૧૭ વિતર્કવિચારાનન્દાસ્મિતાનુગમાત સમ્પ્રજ્ઞાતઃ
वितर्कविचार्नन्दास्मितानुगमात सम्प्रज्ञातः
એકજ પદાર્થ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાથી
ચાર તબક્કામાંથી પસાર થાય છે પરીક્ષા,
વિવેક,આનંદ્થી ભપૂર શાતિ અને સ્વ્પ્રત્યે
સજાગતા.
સૂત્રઃ ૧૮ વિરામપ્રત્યાભ્યાસપૂર્વઃ સંસ્કારશેષઃ અન્યઃ
विरामप्रत्याभ्यासपूर्वः संस्कारशेषः अन्यः
એકગ્રતાની અન્ય પધ્ધતિ છે જેમા અંતર
કોઈ પદાર્થ ઉપર કેંન્દ્રિત હોતું નથી.
માત્ર અંતરના કોઇ ખૂણે તેની છાપ સંઘરાયેલી
હોવાથી શેકાલા બી સમાન. જેની સતત હાજરી
મનના તરંગોમા અનાસ્ક્ત રીતે સંતાયેલી જણાય.
પ્રકૃતિથી પર તેનું અસ્તિત્વ હોય. આ છે યોગનો
આખરી તબક્કો. જન્મો જનમ તે સંસ્કાર માનવમા
રહેલા જણાય છે.જ્યારે આ સંસ્કાર સમાપ્ત થાય
પછી જનમ લેવો પડતો નથી. આ સંસ્કાર એટલે
આપણા પૂર્વ “કર્મો”.
સૂત્રઃ ૧૯ ભવ-પ્રત્યયો વિદેહ- પ્રકૃતિલયાનામ
भव-प्रत्ययो विदेह-प्रकृतिलयानाम
જ્યારે આવું કેન્દ્રિયકરણ અનાસક્તિ
અને અજ્ઞાન સાથે સંકળાયેલું હોતું નથી
ત્યારે જનમ અને મરણથી પર થઈ
કુદરતમા વિલિન થઈ જાય છે. મન
અને દર્પ ઉપરનો સંયમ કુદરત સાથે
ઐક્યતા અર્પણ કરે છે. આત્મા સાથેનું
મિલન જ મોક્ષ નું કારણ છે,
સૂત્રઃ ૨૦ શ્રધ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક
ઇતરેષામ
श्रध्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञा-पूर्वक
इतरेषाम
એકાગ્રતાથી આધ્યાત્મિકતામાં સંપૂર્ણાતા
શ્રધ્ધા,શક્તિ,યાદદાસ્ત, ,પ્રજ્ઞા અને
તેજસ્વીતા દ્વારા પ્રાપ્ત થાય છે.
શ્રધ્ધા એટ્લે અંધ વિશ્વાસ નહી. શક્તિ
એટલે આળસપણાનો અભાવ, જેનાથી
જીવનમા માર્ગ દર્શન પ્રાપ્ત થાય.
પ્રજ્ઞા અને તેજસ્વિતા વધે.