‘યોગ’, ૨૧મી સદીનો જો સહુથી પ્રચલિત શબ્દ હોય તો તે યોગ છે.
આજે પૂર્વમા જુવો કે પશ્ચિમમા, નાના યા મોટા, જુવાન કે આધેડ દરેકને
મુખેથી આ શબ્દ સાંભળવા મળશે.
આપણા ભારતની ૠષિ પરંપરાથી ચાલી આવતી આ યોગની વિદ્યા
ઘણી પ્રાચીન છે. આપણા મહાન ઋષિ પતાંજલીએ તેને એકત્ર કરીને
સુંદર રીતે વિવરણ કર્યું છે. યોગનું અધ્યયન માનવને ઉચ્ચસ્તર
પ્રાપ્ત કરવામા સહાય ભૂત થાય છે. કઠ ઉપનિષદ, શ્વેતાસ્વતર
ઉપનિષદ,તૈત્રિય અને મૈત્રિયાની ઉપનિષદમા પણ યોગનું સુંદર
આલેખન છે. યોગ એ આપણા પ્રાચીન ભારતનો વૈભવ છે. ઋષિ
પતાંજલીએ તેને સુંદર રીતે પ્રસ્તુત કરી માનવ જાતને અર્પણ કર્યું.
તેનો ચોકકસ સમય કહેવો મુશકેલ છે.
ચાલો ત્યારે યોગ વિશેના તેમના સૂત્રો વિશે જાણીએ. તૈયાર થઈ જાવ.
સૂત્રઃ ૧. અથ યોગાનુશાશનમ.
યોગનો અર્થ થાય છે ‘જોડવું’.
અર્થઃ હવે યોગની રીતની શરૂઆત.
સૂત્રઃ ૨. યોગ ચિત્ત વૃત્તિ નિરોધઃ
અર્થઃ યોગથી મગજમાં ચાલતા વિચારો પર
નિયંત્રણ આવે છે.
સૂત્રઃ ૩. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ.
અર્થઃ ત્યારે માનવને પોતાના અસલ
સ્વરૂપનું ભાન થાય છે.
સુત્રઃ ૪. વૃત્તિ સારૂપ્ય ઇતરત્ર.
અર્થઃ જ્યારે તે યોગમાં આરૂઢ નથી હોતો
ત્યારે તે વિચારોમાં મશ્ગુલ હોય છે.
સૂત્રઃ ૫. વૃત્તય પંચતય્યઃ ક્લિષ્ટ અક્લિષ્ટઃ
અર્થઃ પાંચ જાતના વિચાર મનમાં ચાલતા
હોય છે. કોઈક દુઃખ પહોંચાડે છે, કોઈ
દુઃખ પહોંચાડતા નથી