Swami Vivekanand January 11, 2008
Posted by pravinash in : ચિંતન લેખ , trackbackતેમનાં વિચાર.
૧. જૂના ધર્મો કહેતા કે ‘ જે ઈશ્વરમાં માને નહી તે નાસ્તિક છે.’
નવો ધર્મ કહે છે ઃ જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.’
૨. ‘બળ’ એ જીવન છે. ‘નિર્બળતા’ મૃત્યુ છે. બળ એ પરમાનંદ છે,
શાશ્વત અને અનંત જીવન છે! નિર્બળતા એ કાયમી બોજો અને
સંતાપ છે. નિર્બળતા મૃત્યુ છે. બાળપણથી જ બળવાન અને ઉપયોગી
વિચારો તમારા મગજમાં ધારણ કરો.
૩. અસત્ય કરતાં સત્ય અનંતગણું જોરદાર છે. તેવી જ રીતે ભલાઈનું
પણ સમજવું. જો તમારામાં એ બે હશે તો કેવળ તેમના પ્રભાવથી
જ દિશાસૂચન મળશે.
૪ . જ્યાં સુધી લાખો માણસો ભૂખ અને અજ્ઞાનમાં સબડે છે, ત્યાં સુધી
તેમને ભોગે કેળવાયેલા અને તેમના પ્રત્યે તદ્દ્ન દુર્લક્ષ કરતા દરેક
માનવીને હું મોટો દ્રોહી ગણું છું.
૫. તમારામાં રહેલી દિવ્યતા પ્રકટ કરો. એટલે તેની આસપાસ બધું
સુંદર રીતે ગોઠવાઈ જશે.


Powered By
Comments»
સરસ વાતો…
જાણવી અને માણવી ગમી