Archive for the ‘વિચાર ના વહેણ’ category
વિરમું છું.
September 26th, 2010સંવાદ વિવાદ વિનાનો
September 24th, 2010આત્માઃ
હા, હા ખબર છે હું તારો જ અંશ છું.
પરમાત્માઃ
તેથી જ તો તારા અને મારામા કોઈ ભેદ નથી.
આત્માઃ
હું દરેક માનવીના શરીરમા રહું છું અને વ્યક્ત છું.
પરમાત્માઃ
હું અવ્યક્ત છું કિંતુ અસ્તિત્વ ધરાવું છું.
આત્માઃ
નાસ્તિક લોકો તારા અસ્તિત્વની અવહેલના કરે છે.
પરમાત્માઃ
તેઓ મારા સાકાર સ્વરૂપની અવહેલના કરે છે. કિંતુ——-
આત્માઃ કિંતુ શું ?
પરમાત્માઃ
અનજાણ શક્તિ છે તે સ્વિકારે છે. જેમકે વિજળીના
ગોળામાં વિજળીનું હોવા પણું.
આત્માઃ
તું વ્યાપક છે, હું સીમામા જકડાયેલો છું.
પરમાત્માઃ
મને સીમાનું બંધન નથી. મારું અસ્તિત્વ શાશ્વત છે.
આત્માઃ
સુખ અને દુખ મને સ્પર્શતા નથી.
પરમાત્માઃ
ભલે તું નિર્લેપ છે પણ શરીરને બંધનકર્તા છે.
આત્માઃ
શામાટે આખી જીંદગી હું તને પામવા માટે પ્રયત્ન કરું છું ?
પરમાત્માઃ
તું હંમેશા જે નથી તેની પાછળ દોડે છે.
જે છે તેને શાંતિથી પહેચાનતો નથી.
આત્માઃ
શરીર સાથેનો સંબંધ આટલો ગાઢ કેમ છે.
પરમાત્માઃ
તે તારું રહેવાનું સ્થાન છે.
આત્માઃ
તો પછી——
પરમાત્માઃ
તેમાં આસક્તિ નહી રાખ. ગમે ત્યારે તે ઘર ખાલી કરવું પડશે.
આત્માઃ
હવે એ તો સમજાયું કે આસક્તિ નહિ રાખવાની. પણ અંતે——-
પરમાત્માઃ
શાકાજે ચિંતા કરે છે અંતે તું મને જ પામીશ. મારામા ઓતપ્રોત
થઈ જઈશ.
આત્માઃ
પૃથ્વિ પરનું જીવન જીવવું એ એક કળા છે.
પરમાત્માઃ
તને બધું જ સમજાવીને પૃથ્વિ પર મોકલ્યો હતો.
નવ મહિના મહેનત કરી હતી. પણ——-
આત્માઃ
પણ શું ?
પરમાત્માઃ
શ્વાસ લેતાંની સાથે તારો અને મારો નાતો તે બદલી લીધો.
મોહ માયામાં તું એવો લપેટાયો કે અવતરણની સાથે ઉંવા ઉંવા
( તું ત્યાં, તું ત્યાં નો રાગ ગાવા મંડી પડ્યો.)
અનંત ચતુર્દશી
September 23rd, 2010વૈભવ અને આનંદમા બિરાજમાન ગણેશ આજે વિદાય થયા.
મંગલતા સર્વે દિશામા વ્યાપી હતી. સુનું સુનું લાગતું હશે. પરંતુ
ગણપતિ કાયમ બિરાજમાન છે.
પ્રતિક રૂપે આપણે તેમનું વિસર્જન કરીએ છીએ. હા, તેમની
હસ્તી સ્થૂળ યા સુક્ષ્મ રૂપે સદા પ્રવર્તવાની.
શુભકર્તા, વિઘ્નહર્તા કદી વિદાય લઈ શકે? ચાલો ત્યારે હવે તેમને
( ગણપતિ બાપાને) દિલમાં સ્થાપી આવી રહેલ શ્રાધ્ધના દિવસોમાં
આપણાથી વિજોગ પામેલાં સ્નેહીજનોને યાદ કરી તેમને અશ્રુના
યા સાચા બે ફુલ અર્પણ કરીએ.
ઈશ્વર તેમને જ્યાં પણ હોય ત્યાં ક્ષેમકુશળ રાખે.
સુંદર સ્વાસ્થ્ય
September 22nd, 2010સુંદર સ્વાસ્થ્ય એ અઘરું કાર્ય નથી.
તે અતિ સરળ છે.
૧. જે કાચું ખાઈ શકાય તેને રાંધવું નહી.
ગાજર ,ટામેટાં, કાકડી, મૂળો
૨. જે રાંધીને ખવાય તેને તળવું નહી.
રોટલી, શાક, ઢોકળાં, ખાખરા
૩. જે તળીને ખવાય તે ખાવું નહી.
પૂરી, વડા, સમોસા, ગાંઠીયા
અનુભવની એરણ પર
September 17th, 2010૧. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનની પળમાં જીવો.
૨. જીંદગી ગુંચવણભરી કરતા સરળ જીવો.
૩. મનગમતી વસ્તુ વિના સંકોચે કરો.
૪. જે મફત છે તેની છૂટે હાથે લ્હાણી કરો. પ્રેમ અને હાસ્ય.
૫. તમે જ તમર સાચા મિત્ર છો.
૬. એક ‘જીભ’ને આરામ આપો.
૭. બે કાન હંમેશા વાપરો.
૮. આપ્યાથી આનંદ મળે છે લેવા કરતાં. (અનુભવો)
૯. શું ખાવ છો એના કરતા કેટલું ખાવ છો તે જુઓ.
૧૦. દિલ કદી જુઠું નથી બોલતું,તેનો અવાજ સાંભળો.
પૂર્વજો
September 17th, 2010વર્ષોનો તફાવત જો માણસને હોંશિયાર બતાવવાનું થર્મોમિટર
હોય તો આ વિધાન મા કેટલુ તથ્ય છે. હંમેશા યુવા પેઢીનો દાવો
રહ્યો છે કે તેઓ ઘણું બધુ વધારે જાણે છે તેમેના માતા પિતા કરતાં.
નાનપણની વાત યાદ આવે છે. મારી મમ્મી હંમેશા કહેતી
ભગવાનનું નામ લઈને જો રસોઈ કરીએ તો ‘ સરસ અને સ્વાદિષ્ટ’ જ
હોય. હકિકતમા એ સત્ય હતું કારણ તેમાં શ્રધ્ધાનો રણકો સ્પષ્ટ હતો.
“નજર નીચી રાખો વિચાર ઉંચા રખો’. આ યુક્તિ શિલાલેખની જેમ
હૈયા પર કોતરાયેલી છે. તેથી કદીય ભારતથી પાછા આવતા પગ
મોચવાયો નથી. હા, ઘણીવાર થતું ‘મમ્મી, તું ભણી નથી તેથી તને
ખબર નથી પડતી’. હા, કબૂલ કરું છું તે ભણી હતી ચાર ચોપડી,
પણ તમને અને મને શરમાવે તેવી તેની જીવન જીવવાની
રીત રસમ હતી.
અરે, મારી દાદી અને નાની પણ તેઓ જે કરતા તેમા ઘણી
કુશલતા દાખવતા. હવે તો એ વાતો ભૂતકાળ બની ગઈ છે. ટુંક
સમયમા મારું અસ્તિત્વ પણ ભૂતકાળ થઈ જશે.
ખેર, વાત માત્ર એટલીજ કહેવી છે નવી પધ્ધતિ, અધુનિકતા,
અને સફળતાનું વિજ્ઞાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને કરશે.
તેના પાયામા સિમેન્ટતો ‘જૂનો’ જ છે. જે ઇમારત ખૂબ
મજબૂત બનાવે છે. ‘કેલ્ક્યુલેટર’ આવ્યા ને માણસે ‘ગણિત’ ને
વિસારે પાડ્યું. તેના મગજની આંકડા સાથેની રમત ધીરી થઈ.
‘કમપ્યુટર અને એસેમેસ’ આવ્યા માણસની શબ્દ અને લેખન-
વૃત્તિ નરમ પડી. હવે પછી શું——?
જો પૂર્વજોની રીત રસમ પર નાક ચડતુમ હોય તો વડિલોપાર્જિત
ધનનું શું કરીશું ?
. જો કે આ વાત બધાને લાગુ પડતી નથી એમાંય જે અમેરિકા આવીને
વસ્યા છે તેમેને ખાસ. તેઓ તો પોતાના વડિલોની ઇજ્જત કરી તેમનો આભાર
માને છે આ દેશમા આવ્યા બદલ. વિદ્યા પ્રાપ્તિએ તેમને જિવનમા ઘણી સારી
સ્થિતિએ પહોંચાડ્યા છે.
યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય —— ૩
September 17th, 2010યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય ૩
કમર અને પીઠના દુખાવાનું દર્દ
પીઠનો દુખાવો થવાનું મુખ્ય કારણ છે ખોટી રીતે ઉભા રહેવાની
તથા બેસવાની ટેવ. વધારે પડ્તી માનસિક ચિંતા યા શારીરિક
લક્ષણ કામ. વધતી ઉમર ને કારણે પહોંચેલો ઘસારો પણ
દુખાવાનું કારણ હોઈ શકે.
એક દુખાવો એવો હોય છે જે એક્સ રે યા લોહીની તપાસ
દ્વારા ખબર પડે. બીજો દુખાવો જે કામ યા નોકરી પરની એવી
ખાસિયત ને આધારિત હોય છે. ઘણીવાર દુખાવો એવા કારણસર
હોય કે જે કળવું કઠિન છે.
કરોડ રજ્જુ જે બોચીની પાછળથી શરૂ થઈ કમર સુધી જાય છે.
સી૧ થી સી૭ ગળાના મણકા (સર્વાઈકલ)
ટી૧ થી ટી ૧૨ છાતીના મણકા (થોરાસીક)
એલ૧ થી એલ ૫ કમરનો ભાગ (લમ્બર)
૫ સેક્રમ
એસ ૧ અને એસ ૨ પેલ્વીસ
૫ પૂંછડીના ( કોકીકસ)
દુખાવાના પ્રકારઃ
૧. મણકાનું ખસી જવું (સ્લીપ ડીસ્ક)
૨. ગળામા મણકાનો દુખાવો.
૩. અકસ્માતથી થતો દુખાવો.(વ્હીપ્લીશ ઇન્જારી)
૪. ગળાના મનકામા સોજો (સ્પોન્ડીલોસીસ)
૫. ચીંતા ને કારણે થતો દુખાવો.
૬. ડોક હલાવવાથી થતો દુખાવો
૭. ખુંધ તથા આગળ યા પાછળ વળતા દુખાવો.
આ દુખાવો ઘણી વાર વહેલી સવારે થાય યા ઉભા રહેવાની ખોટી
ટેવ ને લીધે પણ થાય.
ઈલાજઃ
આરામ, ચત્તાપાટ સૂવાનું
દવાનો સહારો
શસ્ત્રક્રિયા
લોહચુંબકની પધ્ધતિ.
યોગ દ્વારા માત્ર તેનો ઇલાજ જ નથી થતો પણ તેના મૂળના ઉંડાણ
સુધી પહોંચી તેનો જડમૂળથી નાશ કરે છે.
અન્નમય કોષ”
તમારી પોતાની શક્તિનો ખ્યાલ રાખી વજન ઉચકવું. આગળ તથા
પાછળ ખૂબ સાવધાની પૂર્વક વળવું. આંચકા લાગે એવા પ્રયોગો ન કરવા.
‘ લમ્બર સ્ટ્રેચ’ એ ખૂબ સુંદર આસન છે. શવાસનમા સૂઈ બે પગ ઘુંટણથી
વાળી પગ અને મોઢું વિરુધ્ધ દિશામા રાખવા. આંખો બંધ અને શ્વાસ ઉપર
ધ્યાન કેંદ્રિત કરવું. પછી પગ તથા મોઢાની દિશા બદલવી. દરેક વ્યક્તિ
પોતાના શરીરની મર્યાદાથી માહિતગાર હોય છે.
પ્રાણમય કોષઃ
શ્વાસની અનિયમતતા , ચિંતાને કારણે પ્રાણવાયુ પીઠના હાડકામા
બરાબર પહોંચતો ન હોવાથી દુખાવો રહે. પ્રાણાયામ નિયમિત કરવો.
કપાલભાંતિ હરગિઝ નહી. “પ્રાણિક એનરજાઈઝીંગ ટેકનીક” છે જેનાથી
ખૂબ રાહત થાય છે. તે ટેકનીકનું પાલન કરવાથી મેટાબોલીક રેટ ઘટે
છે અને ‘પ્રાણ’ નો પ્રવાહ સરળ બને છે જેનાથી દુખાવો કાબૂમા આવે છે.
મનોમય કોષઃ
ૐ ની સાધના અને ‘નાદ અનુસંધાન’ કરવાથી દુખાવો ઘણૉ સહ્ય
બને છે અને સતત મહાવરાથી ધીરે ધીરે નાબૂદ થાય છે. પીઠનો યા
કમરના દુખાવાનું મુખ્ય કારણ ખોટી રીતે ઉભા રહેવાની તથા વળવાની
ટેવ છે.
વિજ્ઞાનમય કોષઃ
સારું વાંચન, આનંદમય વાતાવરણ અને કોઈ પણ જાતની ભીતિ
યા લઘુતા ગ્રંથિનો ત્યાગ.
આનંદમય કોષઃ
કર્મ કરતા રહેવું. એવું કાર્ય જેમા નિજાનંદ પ્રાપ્ત થાય. ખુશનુમા
વાતાવરણમા હરવું ફરવું.ચિંતા ને તિલાજલી.
કમર તથા નીચેની પીઠના દુખાવાના આસન.
૧. હાથના આંગળા ભીડી સામે તથા ઉપરની બાજુ શ્વાસની
આવન જાવનના તાલ સંગે લઈ જવા.
(હેન્ડ સ્ટ્રેચ બ્રિધિંગ)
૨. પગ વાળીને ‘લમ્બર સ્ટ્રેચ’ બ્રિધિંગ’
૩. પવન મુક્તાસન
૪. સેતુબંધ આસન
૫. ‘ડોરસલ સ્ટ્રેચ’
૬. શશાંક આસન બ્રિધિંગ
૭. ભુજંગ આસન
૮. સલભાસન
૮. વારાફરતી પગ ઉપર લાવી શ્વાસની સાથે તાલ
મિલાવવો.
૯. બાજુ પર સૂઈ પગ ઉચકવો.
૧૦. વિપરીતકરણી આસન
૧૧. પરિવૃત્ત ત્રિકોણાસન
૧૨. વક્રાસન
૧૩. અર્ધકટિ ચક્રાસન
૧૪. અર્ધચક્રાસન
ગળાના દુખાવા માટેઃ
૧. હાથના આગળાને વારાફરતી હલાવવા.
૨. હાથની મુઠ્ઠી વાળી ઉપર નીચે કરવી.
૩. હાથની કલાઈ ધીરે ધીરે ફેરવવી, ઉપર નીચે કરવી. વિ.
૪. ખભા ઉપર નિચે કરવા, ગોળ ફેરવવા/
૫. ધીરે ધીરે ડોક ઉપર,નીચે તથા ગોળ ફેરવવી.
એક વાર ડાબી બાજુથી શરૂ કરવું ને પછી
જમણી બાજુથી.
પ્રાણાયામ
નાદ અનુસંધાન
ધ્યાનમા નિયમિતતા
“ૐ” ધ્વનિનો ઉચ્ચાર
“મ” ધ્વનિનો ઉચ્ચાર
નાડી શુધ્ધિ પ્રાણાયામ
દુખાવો ન હોય તે સમયે ‘કપાલભાંતિ કરાય
પણ યાદ રહે એકદમ ટટ્ટાર બેસવું.
ૐ
યોગના પ્રયોગો દ્વારા શારિરીક સ્વાસ્થ્ય : ૨
September 13th, 2010આજે આપણે વાત કરીશું ‘ડાયાબિટીસ’ જેને ગુજરાતીમા ‘મધુપ્રમેહ’નું
નામ આપ્યું છે. લોહીની અંદર ખાંડનું પ્રમાણ વધારે થઈ જાય ત્યારે આ
દર્દ છે એમ જાણવું. જેનાથી જીવનમા ઉથલ પાથલ મચી જાય છે.
જેનાથી શરીરમા કાંતો જરુર કરતા વધારે ‘ઇનસ્યુલીન’ ઉત્પન્ન
થાય છે યા તો લોહી ગ્રહણ કરીશકે એના કરતા ઓછું.
આ દર્દ બે પ્રકરનું છે ૧. ઇન્સ્યુલીન ઉપર આધાર
૨. ‘ઇન્સ્યુલીનની જરૂરત ન હોય
મધુપ્રમેહમા ‘પેન્ક્રિયાસ અને પીટ્યુટરી ગ્લાન્ડ” બે ની
કામ કરવાની અશક્તિ જણાય છે.
ઇન્સ્યુલિન એ ખૂબ શક્તિશાળી ‘હોર્મોન’ છે જે હોજરીમા
ગ્લુકોઝનો સંગ્રહ કરી તેનું ‘ગ્લાયકોઝોનમા’ રૂપાંતર કરે છે.
હરએક વ્યક્તિમા ‘મધુપ્રમેહની’ અસર અલગ અલગ હોઈ
શકે.
મધુપ્રમેહ થવાના કારણઃ
૧. વધારે પડ્તી વાર બાથરૂમ જવું (રાતના મોટેભાગે)
૨. ખૂબ પાણીની તરસ લાગવી.
૩. જેનાથી ગ્લુકોઝ મુત્ર દ્વારા વહી જાય.
૪. મિઠાઈ ખાવાની ઉત્કંઠા
૫. વજન ઉતાવું , શારિરીક અશક્તિ
૬. પગનો દુખાવો
૭. દૃષ્ટિમા ઝંખપ
૮. બેધ્યાનપણું
૯. કોમામા ચાલ્યા જવું
૧૦. કામવાસનામા શુષ્કતા
પરીક્ષાઃ
૧. મૂત્રની તપાસ
૨. લોહીની તપાસ
અ. ભુખ્યા પેટે
બ. જમીને
યોગના પ્રયોગઃ
૧. સિથીલીકરણ વ્યાયામ.
અ. અગ્નિસાર ક્રિયા જેનાથી પેનક્રિયાસ કામ કરતું થાય.
બ. વમન ધૌતિ (અઠવાડિયામા બે વાર) જેનાથી પેનક્રિયાસ સતેજ થાય
ક. પરિવૃત્ત ત્રિકોણાસન.
ડ. અર્ધ મત્સેન્દ્રિયાસન
ઈ. વક્રાસન
આ પાંચ ઉપાયથી ‘અન્નમય કોષ’ સરસ રીતે કાર્ય કરે છે.
૨. જ્યારે શ્વાસ લેવામાં અનિયમિતતા જણાય ત્યારે ‘પ્રાણમય કોષ’
તકલીફમા જાનવો. જેના માટે
અ. વિભાગીય શ્વાસ્નો પ્રબંધ કર્યો છે.
બ. કપાલભાંતિ
ક. ભસરિકા
ડ. પ્રાણાયામ
જેનાથી ચીંતા દૂર થાય છે. (સ્ટ્રેસ)
૩.મનોમય કોષ કાજે
અ. ભજન
બઃ સત્સંગ
ક. પ્રાર્થના
આ બધાની સુંદર અસર પૂરા શરીર ઉપર થાય છે.
૪. વિજ્ઞાનમય કોષઃ
પોતાની જાતનું નિરિક્ષણ કરવું. વિવેક બુધ્ધિનો ઉપયોગ
કરવો. સારા પ્રવચનો સાંભળવા. ડોકટરની સલાહ સૂચન
અને વડીલની શિખામણ ભરી વાત સાંભળવી.
૫. આનંદમય કોષઃ
અ. કર્મયોગ દ્વારા કાર્યમા પ્રવૃત્ત રહેવું.
બ. ખુશખુશાલ વાતાવરણ મા રહેવું.
ક. શાતિ પૂર્વક આરામ ભોગવવો.
સિથિલીકણ વ્યાયામ;
૧. જગ્યા ઉપર દોડવું
૨. આગળ અને પાછળ વલવું
૩. ધનુરાસન
૪.પવન મુક્તાસન
૫. સૂર્ય નમસ્કાર
૬. સલભાસન
૭. મત્સ્યાસન
૮. ઉષ્ટ્રાસન
૯. શવાસન
૧૦. વારાફરતી સૂઈને પગ ઉંચા કરવા
૧૧ બંને પગ સાથે ઉંચા કરવા
૧૨. નાડી શુધ્ધિ પ્રાણાયામ
૧૩. ‘ૐ; નું ધ્યાન
૧૪. નાદ અનુસંધાન
અ અ અ
ઉ ઉ ઉ
મ મ મ
૧૫. ભ્રમરી પ્રાણાયામ
યાદ રહે આ આસન અને પ્રાણાયામ ખૂબ શાંત ચિત્તે કરવા.
આસન કરતી વખતે ધ્યાન શ્વાસ ઉપર કેંન્દ્રિત કરવું.
ક્યાંય પણ પ્રશ્ન હોય તો પૂછશો. મારી શક્તિ પ્રમાણે
સંતોષ કારક જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
ફાયદો થશે એની ના નહી
કિંતુ નુકશાન તો નહીજ થાય તેવું દાવા સાથે કહું છું.
‘યોગ’ ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય
September 13th, 2010‘યોગ’ નો અભ્યાસ અને તેનું આચરણ સમજીને કરવામા આવે તો તે ખૂબ
ઉપયોગી પૂરવાર થયેલું છે. તેના નિયમિત આચરણથી તંદુરસ્તી જળવાય છે.
આજકાલની બજારમા મળતી દવાઓ જે તરત રોગને દબાવવામા સફળ
છે કિંતુ તેનાથી થતા લાંબા ગાળાના ગેરફાયદાથી સર્વેજણા વિદિત પણ છે.
મિત્રો જે થોડીઘણી જાણકારી ‘યોગ’ના અભ્યાસ દ્વારા મેળવી છે તે અંહી
પ્રસ્તુત કરીશ. એક વાત કબૂલ કરવી રહી કે એક વર્ષના અભ્યાસ દ્વારા ખૂબ
ફરક મહેસૂસ કર્યો છે.
જીવનમા શિસ્ત અને સ્વાસ્થ્ય બને પ્રાપ્ત થયા છે. આવા સુંદર નિર્ણયની
પ્રેરણા કરવા કાજે ઈશ્વરનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. પરિવારની સંમતિ
અને અનુકૂળતા પણ એટલાજ મહત્વના હતા.
બસ આટલી પ્રસ્તાવના દ્વારા હવે ઇંતજાર કરજો , વધુ આવતી મુલાકાતે.