યોગ સધના-૩
સૂત્રઃ ૬ પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રા-સ્મૃતયઃ
प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः
પાંચ જાતના વિચાર ના તરંગ છે, સાચું જ્ઞાન,
ખોટું જ્ઞાન,(જડતા) વિકલ્પ, નિદ્રા અને યાદદાસ્ત.
વિચાર પોતે દુખદાયક આ સુખદાયક હોવા કરતા
તે જે સાથે તાણી લાવે છે તે હાની કરતા હોય છે. જેવું
કે અજ્ઞાન, બંધન યા તો બૂરી આદત.
સૂત્રઃ ૭ પ્રત્યક્ષાનુમાનાગમાઃ પ્રમાણાનિ
प्रत्यक्षानुमानागमाः प्रमाणानि.
જે સાચું જ્ઞાન છે તે જ્ઞાનેન્દ્રિય દ્વારા
મળે છે. ઓ તેમાં કોઈ ભેળસેળ યા
પૂર્વાગ્રહ ન ભળ્યા હોય તો. દાઃતઃ આપણા
વેદ, ઊપનિષદ, ગીતા, રામાયણ વિ. વિ.
સૂત્રઃ ૮ વિપર્યયો મિથ્યાજ્ઞાનમતદ્રૂપપ્રતિષ્ઠમ
विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम
જ્યારે ખોટા જ્ઞાનના પાયામાં વસ્તુ
પ્રત્યેનો અભિગમ તથા સ્વભાવ કારણ-
ભૂત હોયછે. દાઃતઃ અંધારામાં દોરડાને
સાપ માનવો.
સૂત્રઃ ૯ શબ્દજ્ઞાનુપાતી વસ્તુશૂન્યો વિકલ્પઃ
शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः
જ્યારે શબ્દ સ્થળ અને પ્રસંગ અનુચિત
ન હોવાસર વિકલ્પ પેદા થાય છે.
ઘણી વખત કહેનારના કહેવાનો અર્થ
સાંભળનાર પોતાની રીતે ઘટાવે છે.
ત્યારે વિકલ્પ ઉત્પન્ન થવાનો ભય રહેલો
હોય છે.
સૂત્રઃ ૧૦ અભાવ પ્રતિયયાલમ્બના વૃત્તિર્નિદ્રા
अभाव-प्रत्ययालम्बना वृत्तिर्निद्रा
નિદ્રા એ તો શૂન્યતા પૂર્ણ વિચારોની
હારમાળા છે. સ્વપ્ન વિનાની નિદ્રા
એ મનનો સુંદર અભિગમ છે. તેને
યોગની પરિસ્થિતિ સાથે ન સરખાવી
શકાય.