Archive for the ‘ચિંતન લેખ’ category

હળવો કેમ બનાવીશું?

May 30th, 2010

 

  ‘તનાવ’થી છૂટકારો મેળવવૉ એ આપણા હાથમાં છે.  એને હળવો બનાવવા માટે સજાગ રહીને પ્રયત્ન કરવો   જરુરી છે. તનાવ માટે ઘણીવાર એકલતા યા તો એકાકીપણું જવાબદાર હોઈ શકે. જીંદગીમાં નિયમિતતા આણવી ખૂબ જરૂરી છે. આળસ નામનો અજગર જીંદગીને તેની ચુંગલમા અરાબર ફસાવે છે. આત્મવિશ્વાસનો અભાવ  એ તનાવ માટે જવાબદાર છે.

       મગજને હંમેશા નવીનવી પ્રવૃત્તિથી નવાજવું. હ્રદયમાં ઉઠતા તરંગો અને ભાવના પ્રત્યે બેરહમી ભર્યું વર્તન નહી સહાનુભૂતી પુર્વકનું આચરણ. અંતરના અવાજ ને સાંભળવો. કાર્યના ક્ષેત્રમાં આદર્શનું પાલન. સફળતા અને વફાદારી પૂર્વક કાર્યની લગન. નિયમિતતા અને સમૂહમા થતા કાર્યની અસર ખૂબ સુંદર હોવામા બે મત  નથી. સમુહમા, સહયોગથી થતા કાર્યની ચમત્કારિક અસર જણાશે.  તનાવ નજદિક ફરકવાની હિમત પણ નહી કરે. સુસંગતતા,તર્કબુધ્ધિ, કાર્ય પ્રત્યેનો અભિગમ દૃષ્ટિકોણમા જણાતી સ્વસ્થતા, વર્તનમા સુમેળ આ દરેક સવળા પાસા જણાશે.

       સમુહમા થતી દરેક સિધ્ધિ સરખે ભાગે વહેચવી અને મુસિબતોનો સાથે બેસી ઉકેલ શોધવો. છણાવટ કરી તેના ઉપાય મેળવવા. સમૂહમા કાર્ય કરવાથી પ્રેમ અને સમર્પણની ભાવનાનો ઉદય થાય છે. હાથ નીચેના કાર્યકર્તાઓને જશના ભાગીદાર ખુલ્લાદિલે બનાવી તેમની પ્રશંશા અચૂક કરો. જ્યારે નેતૃત્વ લીધું હોય ત્યારે ખૂબ ખંત અને ઉત્સાહપૂર્વક તેનું સંચાલન કરો. ત્યાગની ભાવના સાથેનુ સમર્પણ એ વિશાળતાનો  આધાર સ્થંભ છે. તેનો ફાયદો એ છે કે આળસ દુમદબાવી ભાગે છે અને સમય તથા શક્તિનો વ્યય અટકે છે. માર્ગમા આવતા અવરોધો આસાનીથી હટી સરળ બને છે. જાગ્રતતાનો ઉદય થાય છે. નિયમિતતાનો સંચય અને આત્મવિશ્વાસ  વધે છે. કાર્ય પ્રત્યે પ્રેમનું સિંચન થવાથી કાર્યમા સફળતાના શિખર સર થાય છે.

             તનાવથી બુધ્ધિ મંદ બને છે. સાંધા તૂટવા, શ્વાસમા  અનિયમિતતાનું પદાર્પણ. આંખોમા થાક અને દૃષ્ટિમા મલિનતા પ્રવેશે છે. પ્રેમની જગ્યા ધિક્કાર લે છે.આનંદને બદલે ઉશ્કેરાટનો અનુભવ. દયા અને લાગણીનું સ્થાન અદેખાઈ પચાવી પાડે છે. શાંતિ ને બદલે   ાશાંતિ ઘર કરે છે. તનાવના ચક્રવ્યૂહમાંથી નિકળવા માનસિક તથા શારિરીક શાંતિની આવશ્યકતા. શરીર પંચકોષનું બનેલું છે. ૧.  અન્નમય કોષ,  ૨.  પ્રાણમય કોષ  ૩. મનોમય કોષ,  ૪.વિજ્ઞામય કોષ અને ૫. આનંદમય કોષ.   જેટલી તનાવની તિવ્રતા વધારે તેટલું લોહીનું દબાણ વધારે, ચીંતા વધારે અને જીવન પ્રત્યે ઉભો થતો અણગમો.

        પંચકોષ ઉપર કેમ નિયંત્રણ કરવું તે હવે પછી.=========

વાહ “૨૧મી સદી” તારી કમાલ

May 26th, 2010

   વાહ ૨૧મી સદી તારી કમાલ એક એક શબ્દ ઉપર વિચાર

કરજો. ૨૧મી સદીમાં માનવ ક્યાંથી ક્યાં પહોંચ્યો છે?

ઉંચા મકાન બાંધ્યા અને છીછરા મિજાજ- સહનશક્તિનો અભાવ.

પહોળા રસ્તા બનાવ્યા અને સાંકડા મન. (મંતવ્ય)

ખર્ચો રૂપિયાનો આવક આઠ આના. 

કાગળ કરતાં પ્લાસ્ટિકનો અનહદ ઉપયોગ.

ખાવા કરતાં એઠવાડ વધારે.

ખરીદી ઢગલા બંધ અને વપરાશ ઝૂઝ.

વિદ્યા વધી (કોલેજનિ ડીગ્રી) સામાન્ય જ્ઞાનનો અભાવ.

મુસિબતો વધી બહાર નિકળવાના રસ્તા ન જડ્યા.

રોગો વધ્યા, શરાબ પીવાની આદતે માઝા મૂકી, બીડી યા

સિગરેટ પાછળ ધુમાડો, બેસુમાર ખોટા ખર્ચા,મોંઘવારી એ

આંધળિ દોટ મૂકી, લજ્જા ગાયબ, વ્યાભિચાર છડે ચોક, ગાડીની

ઝડપ તેજ, સૂવાનું મોડું, ઉઠવાનો કોઈ નિયમ નહી,  છૂટાછેડા

શીંગચણાની માફક સસ્તા, ટીવી ૨૪ કલાક, સેલ ફોન સંડાસમાં

પણ, ખરીદી બેફામ, સંગ્રહ ઘણો, પ્યાર કરવાનો ય આપવાના

સમયની તાણ, અદેખાઈ ડગલેને પગલે, ધિક્કાર રગરગમાં,

બાળકો માટે સમય નહી.

             ઢગલે પૈસા કમાતા આવડ્યું . સુંદર સંસ્કારી જીવતા નહી.

              આયુષ્ય લાંબુ કર્યું પણ જીવનમાં મહેક ગુમાવી.

             ચાંદને આંબ્યા પણ પાડોશીથી અજાણ.

              વિશ્વની ખોજ આદરી ખુદને ન પહેચાન્યા.

               પરાક્રમો કરવામાં શૂરા, નાની બાબતોમાં અટવાણા.

   ઝડપી ખાવાનું, જીમમાં પચાવવાનું. સેલ ફોનનો વાયરો-

છીછરા સંબંધો, વિશાળ મહેલ જેવા ઘર, ટૂટતા કુટુંબ, મોંઘી દાટ

રજાઓ. સત્કાર્યમાં પૈસાની તાણંતાણ. હોટલોમાં પૈસાનો ધુમાડો

દાન કરવામાં ગલ્લા તલ્લા. એક રાતનો વાસ, અથાણાની બરણી

જેવાં (પીપડા) શરીર. ઢગલા બંધ દવાની ગોળીઓ. દેખાદેખી અને

અદેખાઈની ખાણ.

                પળભરમાં મિલનની આસાની ( કમપ્યુટર)  ક્ષણમાં વિરહ.

                   જોયા વગર દિલ મળવા જોઈને બાંધેલા સંબંધ તકલાદી.

ભજીયા

May 22nd, 2010

      ભજીયા નામ વાંચીને એવો એક પણ ગુજરાતી નહી

હોય જેના મોઢામાં પાણી ન આવે. પછી તે કાંદાના હોય,

બટાકાના કે કંદના.  ઝરમર યા તોફાની મેઘ હોય, હવામા

ઠંડી માદકતા હોય અને બારીની બહાર નજર હોય ત્યારે

યાદ આવે  ગરમા ગરમ ભજીયાની મહેક.  નસિબ પાધરા

હોય અને ઘરવાળી હોંશીલી હોય તો કદીય ના સાંભળવાનો

વારો ન આવે.

           બાકી તો ઘરમાં બટાકા નથી. તમે મદદ કરાવો તો

બનાવી આપું. જાણે બનાવશે ત્યારે પોતે માત્ર સુંઘશે. જો

ખાનગી વાત કહું બનાવે પતિ , પ્રિતમ યા પરિવારને નામે

પણ કરતાં કરતા એટલા ઝાપટે કે જ્યારે બધા લિજ્જત માણે

ત્યારે ‘તમે ખાવને હું તમને જોઈને આનંદ માણીશ’ એમ કહે.

             ભજીયા, પકોડા યા અમેરિકાન ચિકન નગેટ છે  તો બધા

કુટુંબી. પણ સહુથી સુંદર નામ છે ‘ભજીયા’. રખે માનતા તે કરાવે

‘કજીયા’.   હા, જો તમે સાચવીને ન ખાવ તો ખબર છેને પરિણામ

શું આવે? ભાવે તો ખૂબ જ, એમાં વળી સાથે કોથમીર ફુદીનાની

તમતમતી ચટણી હોય તો સોનામાં સુગંધ મળ્યા જેવું લાગે. જો

કે આજની પ્રજાને બધાની સાથે જોઈએ મેગીનો ‘ટોમેટો સોસ’.

                   ભજીયાના વિધવિધ પ્રકાર છે.  કદી બનાવી જોજો

કેળાના કે પેલી હાફુસ કેરીના. મોઢામાં પાણી આવી ગયું ને?

રીગણ, અજમાના પાન, કાકડી, ભીંડા ખૂબ સ્વાદિષ્ટ લાગે.

કદી આઈસક્રીમના ખાધા છે?  તેની લિજ્જત તો કાંઈ ઔર

છે.  શનિવારની સવાર છે, મનગમતો સાથ છે.શ્રીમતિજી

નો મિજાજ ઠેકાણે છે. ફરમાઈશ મૂકી જુઓ કદાચ જમવાને

ટાંકણે મળે પણ ખરા.

                 ભજીયા ખાવા સારા આપવા નહીં. એ ખૂબ ગંદી

આદત છે. કદાચ ખ્યાલ પણ નહી હોય આપનાર વ્યક્તિ તો

ભૂલી જાય છે પણ જેને આપ્યું હોય છે તેને માટે વિસરવું અતિ

કઠીન છે. બને ત્યાં સુધી દરેક વ્યક્તિને શંકાની નજરથી ન જુઓ.

જેમ આપણને સારું ગમે છે. સારા થવું ગમે છે. તેમ સામી વાળી

વ્યક્તિને પણ ગમે છે. વાતવાતમા ભજીયા પિરસવા, ન સ્થળ ન

સમય, ન વ્યક્તિની માન મર્યાદાનો ખ્યાલ.

                   ‘ભજીયા દેવો ભવઃ ‘———

અધિક માસ

April 30th, 2010

   દર ત્રણ વર્ષે આવતો અધિક માસ અડધો પૂરો પણ થઈ ગયો.

    અધિક માસ બાકી છે તો હજુ પણ મોડું નથી થયું.

   શું શું અધિક કરશો?

    ૧. અધિક પ્રભુના ગુણગાન કરતી ભક્તિ.

     ૨. અધિક પ્રભુનું નામ સ્મરણ. (માનસિક)

     ૩. અધિક યોગ્ય વ્યક્તિ યા સંસ્થાને દાન.

    ૪.  અધિક પ્રેમ સર્વે કુટુંબીજનોને સ્વાર્થ યા આસક્તિ વગર.

   ૫.  અધિક સત્કાર્ય.

   ૬.  અધિક મનોવિશ્લેષણ.

   ૭.  અધિક આંતર્મુખતા.

   ૮.  અધિક સત્સંગ.

   ૯.  અધિક    યોગની સાધના.

    નવધા ભક્તિ સમ નવ પગથિયા. માનો ન માનો અધિક

    આત્મ સંતોષ જરૂર પામીશું. બાકી તો કર્મણ્યવાધિકા——

   “ગીતા” માં શ્રીકૃષ્ણ ભગવાને સરસ રીતે સમજાવ્યું છે.

યોગ સાધના—૯

December 13th, 2009

સૂત્રઃ ૩૬   વિશોકા વા જ્યોતિષ્મતી

विशोका वा ज्योतिष्मती

મગજને આત્માની જ્યોતિ પર કેન્દ્રિત કરવાથી એકાગ્રતા પ્રાપ્ત

થાય છે જે દુઃખથી પર છે.

સાધુ સંતોનું માનવું છે કે હ્રદયકમળ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી

ધ્યાનમા સરી પડવું આસાન છે. જેનાથી દિવ્ય આત્મજ્ઞાન સરળતાથી

પ્રાપ્ત થાય છે.

સૂત્રઃ ૩૭   વીતરગ વિષયં વા ચિત્તમ

वीतराग विषयं वा चित्तम

અથવા તો સ્વયં પ્રકાશિત આત્માનું ધ્યાન કરવું જે વિકાર મુક્ત છે.

જેવાકે બુધ્ધ, રામકૃષ્ણ જેઓ બ્રહ્મનને પામ્યા છે. એઓ ઈંન્દ્રિયના

ગુલામ નથી. કેવો અદ્ભૂત અનુભવ હશે?

સૂત્રઃ  ૩૮  સ્વપ્નનિદ્રાજ્ઞાનાલમ્બનં વા

               स्वप्ननिद्राज्ञानालम्बनं वा

            અથવાતો મગજને સ્વપ્નના અનુભવ પર કેન્દ્રિત કરો.

             સ્વપ્નમા કોઇ સાધુ સંત યા ઈશ્વરનો અનુભવ. આ સ્વપ્નની

            અનુભૂતિ ,આનંદ અને મધુર સ્મ્રૂતિ જાગ્રત અવસ્થામા પણ

           યાદ કરવાની મજા આવશે.

 સૂત્રઃ ૩૯ યથાભિમત ધ્યાનાદ્વા

                 यथाभिमतध्यानाद्वा

                 અથવાતો મગજને કોઈ દૈવી આકાર, જેવા કે રામ

                ક્રૂષ્ણ કે ગણપતિ યા ૐ પર કેન્દ્રિત કરો. તેની અસર

                 પણ ખૂબ સુંદર થશે. હકિકત સઘળે પ્રવર્તે છે. માત્ર આપણા

                  હ્રદયના તાર સંધાવા જોઈએ.

 સૂત્રઃ ૪૦ પરમાણુ-પરમમહત્ત્વાન્તોSસ્ય વશીકારઃ

                   परमाणु-परममहत्त्वान्तोSस्य वशीकारः

                યોગીનું મગજ કોઈ પણ પદાર્થ પર કેન્દ્રિત થઈ

                 શકે. તેની વિશાળતા કે બારિકાઈમા કોઈ ફરક પડતો

                   નથી. ( નાનામા નાનો અણુ કે વિશાળ બોંબ).

                   યોગીનો અર્થ છે કે જેણે ધ્યાન કેન્દ્રિત કરવાની કળામા

                  પારંગતા પ્રાપ્ત કરી છે.

યોગ સાધના -૮

December 7th, 2009

સૂત્રઃ ૩૧  દુઃખ દૌર્મનસ્ય અંગમેજયત્વ-શ્વાસપ્રશ્વાસા

             વિક્ષેપસહભુવઃ           

            दुःख-दौर्मनस्याङ्गमेजयत्व -श्वासप्रश्वासा

            विक्षेपसहभुवः

           દુઃખ, નિરાશા, શરીરમા કંપન (ધ્રુજારી) અને શ્વાસ-

          ઉચ્છવાસમાં અનિયમિતતા જેવા અવરોધો તેની સાથે

         જ આવે છે.

          તમસ નું પ્રાધાન્ય ઓઅળી જાય અને રજસ યા

          સાત્વિકતા પ્રવર્તે.

 સૂત્રઃ  ૩૨  તત્પ્રતિષેધાર્થમેકતત્વાભ્યાસઃ

                 तत्प्रतिषेधार्थमेकतत्वाभ्यासः

                એક માત્ર શત્યની ઉપાસના ધ્યાનપૂર્વક

               કરવાથી તેમને હટાવાઅ છે.

              દાઃતઃ દસથી પંદર ત્રણ ફૂટના ખાડા કરવાથી

              પાણી ન મળે. કિંતુ ત્રીસ ફૂટ એકજ ઠેઅાણે

              ખોદવાથી પાણી મળવાની શક્યતા ઘણી જ

                વધારે હોય.

 સૂત્રઃ  ૩૩   મૈત્રી-કરૂણામુદિતોપેક્ષાણાં સુખદુઃખ પુણ્યાપુણ્ય

                  વિષયાણાં ભાવનાત શ્ચિત્તપ્રસાદનમ

                  मैत्री-करुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्य

                   विषयाणां भावनातश्चित्तप्रसादनम

                   અવરોધ વગરની માનસિક શાંતિ ત્યારેપ્રાપ્ત થાય,

                 સુખી સાથે  મૈત્રીભાવ, દુખી સાથે કરૂણા, ગુણિયલ

                 સંગે ભાવના અને દુષ્ટ પ્રત્યે ઉપેક્ષિતતા કેળવી

                 શકીએ.

                    કોઈની સફળતાની અદેખાઈ ન કરવી.  કોઈના

                    સુખે સુખી અને દુખે દુખી. ઓઈના અવગુણ ન જોતા

                     તેના ગુણની કદર કરવી. બુરાઈને સજ્જનતાથી

                     જીતવી.

  સૂત્રઃ ૩૪  પ્રચ્છર્દન-વિધારણાભ્યાં વા પ્રાણાસ્ય

                  प्रच्छर्दन- विधारणाभ्यां वा प्राणास्य

                 મગજને શાંત કરવા માટે શ્વાસ અને ઉચ્છવાસ

                 પર નિયંત્રણની આવશ્યકતાની વાત અંહી  ઋષિ

                પતાંજલી કરી રહ્યા છે. જોકે શ્વાસથી શરુઆત થાય

                  કિંતુ સાધનાના મર્ગની મુસાફરી તદ્દન અલગ છે.

 સૂત્રઃ ૩૫   વિષયવતી વા પ્રવૃત્તિરૂત્પન્ના મનસઃ સ્થિતિનિબન્ધિની

                  विषयवती वा प्रवृत्तिरूत्पन्ना मनसः स्थितिनिबन्धिनी

                  આ રીતની એકાગ્રતાથી માનવ મનની  અદ્ભૂત શક્તિ

                 પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવી શકે છે.

                  જેમકે નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી

                   સુગંધ્નો અનુભવ કે જિહ્વાગ્રે ધ્યાન કેન્દ્રિત કરી સ્વાદ

                    ઉપરની દૈવીશક્તિને પામવી.   

                        માનવ પોતાની આંતરિક શક્તિ દ્વારા ઇંન્દ્રિયો

                    પર અંકુશ મેળવવા માટે શક્તિમાન છે. મન ને

                     વશ કરી તે દ્વારા ઈશ્વર મેળવવાનો માર્ગ સરળ

                     બની શકે છે.

યોગ સાધના–૭

November 28th, 2009

યોગ  સાધના–૭

સૂત્રઃ ૨૬ સ પૂર્વેષામપિ ગુરુઃ કાલેનાનવચ્છેદાત

                  स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात

        તે ગુરુના ગુરુ છે. જે આદિ ગુરુ તરીકે ઓળખાય છે.

         જેને સમયની મર્યાદા કે બંધન નથી. ઋષિ પતાંજલી

         કહે   છે ,ગુરુના ગુરુ સમયના બંધનથી પર છે.

 સૂત્રઃ ૨૭  તસ્ય વાચકઃ પ્રણવઃ 

                   तस्य वाचकः प्रणवः

           શબ્દ જે પ્રણવ દ્વારા પ્રસ્તુત થાય છે.

           ‘ઓમ’ ના ધ્વનિમા આંદોલિત છે.

 સૂત્રઃ ૨૮ તજ્જપસ્તવર્ત્ધભાવનમ

                  तज्जपस्तवर्धभावनम

            આ ‘શબ્દ’નું વારંવાર રટણ કરવું. ધ્યાનમા

             બેસી તેના અર્થનો સંદર્ભ જાણવો. (ઓમ)

             ‘ઓમ’ના નાદનું માહત્મ્ય અવર્ણનિય છે.

 સૂત્રઃ ૨૯ તત પ્રત્યકચેતનાધિગમો અપ્યન્તરાયાભાવશ્ચ

                    तत प्रत्यकचेतनाधिगमो अप्यन्तरायाभावश्च

                જેનાથી ‘આત્મન’ વિષે નું જ્ઞાન પ્રપ્ત થાય છે.

                  તે માટેના વિરોધોનું શમન.કરવામાં સાર્થક છે.

                     ઓમ માં ‘અ’ એ મૂળ અક્ષર છે. જે તાળવાના

                      કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વગર બોલી શકાય

                     છે. ‘મ’ બોલતી વખતે બંને હોઠોનું મિલન અનિવાર્ય

                   છે. ‘ઉ’ મુખના મૂળથી શરૂ થઈ અગ્રભાગ સુધી ફેલાય છે.

                     આમ ‘ઓમ’ શબ્દ સર્વ ભાગમા પ્રવર્તે છે. અવાજ માટે

                    વપરાતા દરેક અવયવ (મુખના) ‘ ઓમ’ ના ઉચ્ચાર

                    માટે વપરાય છે. ‘ઓમ’ એ પવિત્ર શબ્દ છે. તેની દૈવી

                    શક્તિનો પ્રતાપ અલૌકિક છે. વારંવાર તેનું રટણ અને

                     તેમાં મગ્ન થવું યા ધ્યાન કેંન્દ્રિત કરવું શુભ પરિણામ

                      લાવે છે. ‘જપ’માં લીન થવાથી મગજ શાંતિને પામે છે.

                      તેમા આત્મસાત થવાથી ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ સરળ

                      બને છે.

 સૂત્રઃ ૩૦    વ્યાધિ-સ્ત્યાન-સંશય-પ્રમાદાલસ્યાવિરતિ-ભ્રાન્તિદર્શના-

                   લબ્ધભૂમિકત્વાનવસ્થિતત્વાનિ ચિત્તવિક્ષ્રેપાસ્તે અન્તરાયાઃ 

                  व्याधि-स्त्यान-संशय-प्रमादालस्याविरति-भ्रान्तिदर्शना-

                  लब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्ते अन्तरायाः

                  બિમારી, માનસિક આલસ્ય, શંકા, ઉત્કંઠાનો અભાવ, બેચેની,

                  કામુકતા, ખોટા વિચાર, એકાગ્રતાનું ખંડન અને ચંચળતા વિ.

                  જ્ઞાનમાં બાધા રુપ છે.

                        જ્ઞાનના માર્ગને રૂંધનારા આ સર્વ રસ્તા છે.

યોગ સધાના -૬

November 15th, 2009

 

સૂત્રઃ ૨૧ તીવ્રસંવેગાનામાસન્નઃ

                   तीव्रसंवेगानामासन्नः

                 ‘યોગ’ કરવામાં સફળતા જલ્દી પ્રાપ્ત થાય છે જો

                 તે ખૂબ દિલમૂકીને અને તીવ્રતાથી કરવામા આવે તો.

 સૂત્રઃ ૨૨  મૃદુમધ્યાધિમાત્રત્વાત્તતો અપિ  વિશેષઃ

                   मृदुमध्याधिमात्रत्वात्ततो अपि विशेषः 

                   કયો માર્ગ અપનાવ્યો છે, સફળતા તેના

                    પર આધારિત છે. સરળ, અધવચ્ચેનો કે

                     તીવ્ર.      

 સૂત્રઃ ૨૩  ઈશ્વરપ્રણિધાનાદ્વા

                   ईश्वरप्रणिधानाद्वा

                   ઈશ્વર ઉપર ભક્તિભાવ દ્વારા એકાગ્રતા પ્રાપ્ત

                    થાય છે.

 સૂત્રઃ ૨૪ ક્લેશકર્મવિપાકાશયૈરપરામૃષ્ટઃ પુરૂષવિશેષ

                  ઈશ્વરઃ

                 क्लेशकर्मविपाकाशैरपरामृष्टः पुरूषविशेष

                   ईश्वरः         

                  ઈશ્વર એ ખાસ હસ્તી છે જે અજ્ઞાન યા તેની

                   છાયાથી અલિપ્ત છે. કર્મ અને સંસ્કાર્થી પર છે.

                     અંહી ઋષિ પતાંજલિ પહેલી વાર ઈશ્વરનું સંબોધન

                    કરી તેનું માહત્મ્ય બતાવે છે. જે સર્જનહાર, ચાલક

                       તથા સંહારક છે. ઈશ્વર એ જ બ્રહ્મન જેનું પ્રકૃતિ

                        દ્વારા દર્શન.

 સૂત્રઃ  ૨૫  તત્ર નિરતિશય સર્વજ્ઞત્વબીજમ

                     तत्र निरतिशय सर्वज्ञत्वबीजम

                   જેનામા અગાધ જ્ઞાન છે, અન્યમા માત્ર

                   ‘બીજ’ જેટલું છે.

યોગ સાધના—૫

November 15th, 2009

યોગ સાધના—૫

સૂત્રઃ  ૧૬  તત્પરં પુરૂષખ્યાતેર્ગુણવૈતૃષ્ણયમ

                तत्परं पुरूषख्यातेर्गुणवैतृष्ण्यम

              આત્મજ્ઞાનથી કુદરતના અસ્તિત્વ વિશે

              જાણવા ઉત્કંઠા રહેતી નથી. એ શહુથી

             ઉત્તમ અનાસક્તિ છે.

             અનાસક્તિ એ સ્વાર્થ વૃત્તિ નથી. આત્માની

              પહેચાન એટલે અહંકાર અને ‘હું’ પણાનો ત્યાગ.

સૂત્રઃ ૧૭  વિતર્કવિચારાનન્દાસ્મિતાનુગમાત સમ્પ્રજ્ઞાતઃ

                 वितर्कविचार्नन्दास्मितानुगमात सम्प्रज्ञातः

                 એકજ પદાર્થ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાથી

             ચાર તબક્કામાંથી પસાર થાય છે પરીક્ષા,

             વિવેક,આનંદ્થી ભપૂર શાતિ અને સ્વ્પ્રત્યે

             સજાગતા.

 સૂત્રઃ ૧૮ વિરામપ્રત્યાભ્યાસપૂર્વઃ સંસ્કારશેષઃ અન્યઃ

                 विरामप्रत्याभ्यासपूर्वः संस्कारशेषः अन्यः

                   એકગ્રતાની અન્ય પધ્ધતિ છે જેમા અંતર

                  કોઈ પદાર્થ ઉપર કેંન્દ્રિત હોતું નથી.

               માત્ર અંતરના કોઇ ખૂણે તેની છાપ સંઘરાયેલી

              હોવાથી શેકાલા બી સમાન.  જેની સતત હાજરી

              મનના તરંગોમા અનાસ્ક્ત રીતે સંતાયેલી જણાય.

                  પ્રકૃતિથી પર તેનું અસ્તિત્વ હોય. આ છે યોગનો

              આખરી તબક્કો. જન્મો જનમ તે સંસ્કાર માનવમા

               રહેલા જણાય છે.જ્યારે આ સંસ્કાર સમાપ્ત થાય

                પછી જનમ લેવો પડતો નથી. આ સંસ્કાર એટલે

               આપણા પૂર્વ “કર્મો”.

 સૂત્રઃ ૧૯ ભવ-પ્રત્યયો વિદેહ- પ્રકૃતિલયાનામ

                 भव-प्रत्ययो विदेह-प्रकृतिलयानाम

                  જ્યારે આવું કેન્દ્રિયકરણ અનાસક્તિ

               અને અજ્ઞાન સાથે સંકળાયેલું હોતું નથી

                ત્યારે જનમ અને મરણથી પર થઈ

                કુદરતમા વિલિન થઈ જાય છે. મન

            અને દર્પ ઉપરનો સંયમ કુદરત સાથે

            ઐક્યતા અર્પણ કરે છે. આત્મા સાથેનું

            મિલન જ મોક્ષ નું કારણ છે,

  સૂત્રઃ ૨૦  શ્રધ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક

                  ઇતરેષામ  

                 श्रध्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञा-पूर्वक

                  इतरेषाम

                   એકાગ્રતાથી   આધ્યાત્મિકતામાં સંપૂર્ણાતા

                  શ્રધ્ધા,શક્તિ,યાદદાસ્ત, ,પ્રજ્ઞા અને 

                  તેજસ્વીતા  દ્વારા પ્રાપ્ત થાય છે.  

                      શ્રધ્ધા એટ્લે અંધ વિશ્વાસ નહી. શક્તિ

                   એટલે આળસપણાનો અભાવ, જેનાથી

                   જીવનમા માર્ગ દર્શન પ્રાપ્ત થાય.

                   પ્રજ્ઞા અને તેજસ્વિતા વધે.

યોગ સાધના- ૪

November 12th, 2009

     

યોગ સાધના- ૪

સૂત્રઃ ૧૧ અનુભૂતવુષયાસમ્પ્રમોષઃ સ્મૃતિઃ

                  अनुभूतविषयासम्प्रमोषः स्मृतिः

                જ્યારે પદાર્થ સામે આવે ત્યારે ભૂલાય

               નહી પણ અંતરમા તેની યદ તાજી થાય.

                 યાદદાસ્ત એ વિચારોનો પ્રકાર છે. જેમકે

                 ઘણી વાર સ્વપના દ્વારા સ્મૃતિ પમાય છે.

સૂત્રઃ  ૧૨  અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ 

                  अभ्यास्वैराग्याभ्यां तन्निरोधः

                 અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેના

                  પર અંકુશ લાવી શકાય છે.

 સૂત્રઃ ૧૩  તત્ર સ્થિતૌ યત્નો અભ્યાસઃ

                   तत्र स्थितौ यत्नो अभ्यासः

                   વારંવાર તેનું શિસ્તબધ્ધ આચરણ

                    કાયમ માટે મનના વિચારો પર

                  અંકુશ આણે છે.

 સૂત્રઃ ૧૪     સ તુ દીર્ઘકાલનૈરન્તર્યસત્કારાસેવિતો દ્રુઢભૂમિઃ

                   स तु दीर्घकालनैरन्तर्यस्त्कारासेवितो द्रढभुमिः

                  લાંબા કાળ દરમ્યાન વિના વિઘ્ને અને પૂર્ણ પણે

                 દિલ  મૂકીને અભ્યાસ કરવાથી તે દઢતા પૂર્વક સ્થિર

                 થાય છે.

 સૂત્રઃ ૧૫  દષ્ટાનુશ્રવિકવિષયવિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ

                 दष्टानुशविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम

                  અનાસક્તિ એ પોતાની શક્તિ છે. જોએલી અને સાંભળેલી

                ઈછાઓથી મુક્તિ. ઈચ્છા ઉપર નિયંત્રણ આવે ત્યાર પછી

               આધ્યાત્મિકતા આચર્વી અનુકૂળ પડે. મન તેનાથી અશાંત

               અને આળું બને છે. તેથી ઈચ્છા પર અંકુશ આવશ્યક છે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.