Archive for September, 2010
યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય —— ૩
September 17th, 2010યોગના પ્રયોગો દ્વારા શારિરીક સ્વાસ્થ્ય : ૨
September 13th, 2010આજે આપણે વાત કરીશું ‘ડાયાબિટીસ’ જેને ગુજરાતીમા ‘મધુપ્રમેહ’નું
નામ આપ્યું છે. લોહીની અંદર ખાંડનું પ્રમાણ વધારે થઈ જાય ત્યારે આ
દર્દ છે એમ જાણવું. જેનાથી જીવનમા ઉથલ પાથલ મચી જાય છે.
જેનાથી શરીરમા કાંતો જરુર કરતા વધારે ‘ઇનસ્યુલીન’ ઉત્પન્ન
થાય છે યા તો લોહી ગ્રહણ કરીશકે એના કરતા ઓછું.
આ દર્દ બે પ્રકરનું છે ૧. ઇન્સ્યુલીન ઉપર આધાર
૨. ‘ઇન્સ્યુલીનની જરૂરત ન હોય
મધુપ્રમેહમા ‘પેન્ક્રિયાસ અને પીટ્યુટરી ગ્લાન્ડ” બે ની
કામ કરવાની અશક્તિ જણાય છે.
ઇન્સ્યુલિન એ ખૂબ શક્તિશાળી ‘હોર્મોન’ છે જે હોજરીમા
ગ્લુકોઝનો સંગ્રહ કરી તેનું ‘ગ્લાયકોઝોનમા’ રૂપાંતર કરે છે.
હરએક વ્યક્તિમા ‘મધુપ્રમેહની’ અસર અલગ અલગ હોઈ
શકે.
મધુપ્રમેહ થવાના કારણઃ
૧. વધારે પડ્તી વાર બાથરૂમ જવું (રાતના મોટેભાગે)
૨. ખૂબ પાણીની તરસ લાગવી.
૩. જેનાથી ગ્લુકોઝ મુત્ર દ્વારા વહી જાય.
૪. મિઠાઈ ખાવાની ઉત્કંઠા
૫. વજન ઉતાવું , શારિરીક અશક્તિ
૬. પગનો દુખાવો
૭. દૃષ્ટિમા ઝંખપ
૮. બેધ્યાનપણું
૯. કોમામા ચાલ્યા જવું
૧૦. કામવાસનામા શુષ્કતા
પરીક્ષાઃ
૧. મૂત્રની તપાસ
૨. લોહીની તપાસ
અ. ભુખ્યા પેટે
બ. જમીને
યોગના પ્રયોગઃ
૧. સિથીલીકરણ વ્યાયામ.
અ. અગ્નિસાર ક્રિયા જેનાથી પેનક્રિયાસ કામ કરતું થાય.
બ. વમન ધૌતિ (અઠવાડિયામા બે વાર) જેનાથી પેનક્રિયાસ સતેજ થાય
ક. પરિવૃત્ત ત્રિકોણાસન.
ડ. અર્ધ મત્સેન્દ્રિયાસન
ઈ. વક્રાસન
આ પાંચ ઉપાયથી ‘અન્નમય કોષ’ સરસ રીતે કાર્ય કરે છે.
૨. જ્યારે શ્વાસ લેવામાં અનિયમિતતા જણાય ત્યારે ‘પ્રાણમય કોષ’
તકલીફમા જાનવો. જેના માટે
અ. વિભાગીય શ્વાસ્નો પ્રબંધ કર્યો છે.
બ. કપાલભાંતિ
ક. ભસરિકા
ડ. પ્રાણાયામ
જેનાથી ચીંતા દૂર થાય છે. (સ્ટ્રેસ)
૩.મનોમય કોષ કાજે
અ. ભજન
બઃ સત્સંગ
ક. પ્રાર્થના
આ બધાની સુંદર અસર પૂરા શરીર ઉપર થાય છે.
૪. વિજ્ઞાનમય કોષઃ
પોતાની જાતનું નિરિક્ષણ કરવું. વિવેક બુધ્ધિનો ઉપયોગ
કરવો. સારા પ્રવચનો સાંભળવા. ડોકટરની સલાહ સૂચન
અને વડીલની શિખામણ ભરી વાત સાંભળવી.
૫. આનંદમય કોષઃ
અ. કર્મયોગ દ્વારા કાર્યમા પ્રવૃત્ત રહેવું.
બ. ખુશખુશાલ વાતાવરણ મા રહેવું.
ક. શાતિ પૂર્વક આરામ ભોગવવો.
સિથિલીકણ વ્યાયામ;
૧. જગ્યા ઉપર દોડવું
૨. આગળ અને પાછળ વલવું
૩. ધનુરાસન
૪.પવન મુક્તાસન
૫. સૂર્ય નમસ્કાર
૬. સલભાસન
૭. મત્સ્યાસન
૮. ઉષ્ટ્રાસન
૯. શવાસન
૧૦. વારાફરતી સૂઈને પગ ઉંચા કરવા
૧૧ બંને પગ સાથે ઉંચા કરવા
૧૨. નાડી શુધ્ધિ પ્રાણાયામ
૧૩. ‘ૐ; નું ધ્યાન
૧૪. નાદ અનુસંધાન
અ અ અ
ઉ ઉ ઉ
મ મ મ
૧૫. ભ્રમરી પ્રાણાયામ
યાદ રહે આ આસન અને પ્રાણાયામ ખૂબ શાંત ચિત્તે કરવા.
આસન કરતી વખતે ધ્યાન શ્વાસ ઉપર કેંન્દ્રિત કરવું.
ક્યાંય પણ પ્રશ્ન હોય તો પૂછશો. મારી શક્તિ પ્રમાણે
સંતોષ કારક જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
ફાયદો થશે એની ના નહી
કિંતુ નુકશાન તો નહીજ થાય તેવું દાવા સાથે કહું છું.
‘યોગ’ ના પ્રયોગ દ્વારા શારિરીક સ્વાસ્થ્ય
September 13th, 2010‘યોગ’ નો અભ્યાસ અને તેનું આચરણ સમજીને કરવામા આવે તો તે ખૂબ
ઉપયોગી પૂરવાર થયેલું છે. તેના નિયમિત આચરણથી તંદુરસ્તી જળવાય છે.
આજકાલની બજારમા મળતી દવાઓ જે તરત રોગને દબાવવામા સફળ
છે કિંતુ તેનાથી થતા લાંબા ગાળાના ગેરફાયદાથી સર્વેજણા વિદિત પણ છે.
મિત્રો જે થોડીઘણી જાણકારી ‘યોગ’ના અભ્યાસ દ્વારા મેળવી છે તે અંહી
પ્રસ્તુત કરીશ. એક વાત કબૂલ કરવી રહી કે એક વર્ષના અભ્યાસ દ્વારા ખૂબ
ફરક મહેસૂસ કર્યો છે.
જીવનમા શિસ્ત અને સ્વાસ્થ્ય બને પ્રાપ્ત થયા છે. આવા સુંદર નિર્ણયની
પ્રેરણા કરવા કાજે ઈશ્વરનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. પરિવારની સંમતિ
અને અનુકૂળતા પણ એટલાજ મહત્વના હતા.
બસ આટલી પ્રસ્તાવના દ્વારા હવે ઇંતજાર કરજો , વધુ આવતી મુલાકાતે.
મિત્રની આશ્ચર્ય ભરેલી “૬૦” મી વર્ષગાંઠ
September 12th, 2010મિત્રની આશ્ચર્ય ભરેલી “૬૦” મી વર્ષગાંઠમાં હાજરી
આપી ત્યારે આનંદનો અવધિ ઉછળી રહ્યો. તાજા ‘નાના’
બન્યા હતા. નવી નવેલી ‘પુત્રવધુ’ આંગણે આવી હતી.
અંતરના ભાવ ઠલવાયા.
ખૂબસૂરત વ્યક્તિ
મુખ પર ઉભરાતું સ્મિત
વાચાળ અને વ્યવસ્થિત
ઉમર ભલેને “સાઠ”
દિલ છે જેનું સાફ
સ્ફૂર્તિ સભર થનગનતી જવાની
“શૈલા” સંગે માણે જીંદગાની
કુટુંબમા મોટા
દિકરીએ બનાવ્યા ‘નાના’
ઘરમા ચહલપહલ
આંગણમા રણકે ‘કંગન’
શબ્દ દ્વારા અભિવ્યક્તિ
લેખનીની અશક્તિ
સદા હસો હસાવતા રહો
જીવનમા ખુશી રેલાવતા રહો
સત્કાર્ય દ્વારા જીવન દિપાવતા રહો
આજના દિને
September 11th, 2010જય ગણેશ જય ગણેશ
જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી
પિતા મહાદેવા
ગણેશ ચતુર્થિની શુભકામના
શ્રાવક મિત્ર મંડળને
અંતરથી આજના શુભ દિને
મિછ્છામી દુક્કડમ
૯/૧૧ માં જેમણે અમોલ પ્રાણ ગુમાવ્યા
તે સહુને સાંત્વના
૯/૧૧
September 8th, 2010નાના મોટા અબાલ વૃધ્ધ
શાંતિ પૂર્વક પોઢ્યા હતા
શું વાંક હતો શું ગુન્હો હતો
પ્રશ્ન હવામા ઘુમતો હતો
ત્રણ વર્ષથી ૭૩ વર્ષના
તાપ બરફ ખમતા હતા
ન ફરિયાદ ન ચિત્કાર
દિલમા પ્રસર્યો હાહાકાર
નિર્દોષો હોમાયા હતા
પેન્ટેગોનના પ્રાંગણમા
અંતરથી શાંતિ પ્રાર્થી
અશ્રુની અંજલી અર્પી
પ્રતિક ત્યાં થમી ગયા
ખળખળ પાણી વહી રહ્યાં
૯/૧૧
ખુશી
September 8th, 2010ખુશી શું બજારમા વેચાતી મળે છે?
શું આપણે ખરેખર ખુશ છીએ?
શું પતિ યા પત્ની એકબીજાને ખુશ રાખી શકે છે?
ખુશી એ જીવન પ્રત્યેનો ખુદનો અભિગમ છે.
પતિ પત્ની એકબીજાના સાન્નિધ્યમા પ્યારનો અહેસાસ માણે છે.
ખુશી વ્યક્તિ પર નિર્ભર નથી.
ખુશી સંજોગોની ગુલામ નથી.
વ્યક્તિ ,સંજોગો, સ્થળ, સમય બધું બદલાય છે.
શરત અને અપેક્ષા વગરનો પ્રેમ ખુશી બક્ષે છે.
સૂર- તાલ
September 7th, 2010હજુ પણ આમ થાય છે ?
September 5th, 2010ભારતના ટી.વી. પરના પ્રોગ્રામ જોવાની આદત જ નથી પાડી.
અરે આદત શું નથી, ભારતની ચેનલ લીધી જ નથી. ભારત પ્રત્યે અને
આપણી ભાષા ઉપર ખૂબજ પ્રેમભાવ છે.
બે દિવસ પહેલાં બહેનપણીને ત્યાં ટીવી જોતા બે શોના પ્રસંગો
જોવાની તક સાંપડી.
પ્રસંગ ૧. મા તથા દિકરી ઘરમા દાખલ થતા પતિને સવાલના જવાબ
આપે છે. તેમાં તેની માતા વિશે ખુલ્લા દિલે ફરિયાદ અને આક્ષેપો.
પતિઃ અનુસંધાનમા “હું મારી માતા ને અને બહેનને મળીને આવ્યો.
બીજા કોઈ શોમા જો કે મને શોના નામની પણ ખબર નથી.
પ્રસંગ ૨. સાસુ અને દિયર ઘરની વહુ તથા તેના પિતાજીના મોઢા પર મેશના
લપેટા કરે છે.
ગમે તે વાર્તા યા પ્રસંગ હોય. આ બંને દૃશ્ય જોઈને હું ઈશ્વરનો આભાર માનતી
હતી કે મે “સોની” યા ‘ઝી” ટીવી જેવી ચેનલો નથી લીધી.
જો કે બીજા સારા પ્રોગ્રામો પણ આવે છે એમ સાંભળ્યું છે.