યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય——-૪ સાંધાનો દુખાવો

September 23rd, 2010 by pravinash Leave a reply »

             યોગના પ્રયોગ દ્વારા સ્વાસ્થ્ય——-૪       

              સાંધાનો દુખાવો

       સાંધાના ઘસારાથી થતા દુખાવાને લીધે થતા દર્દને સંધિવા પણ કહેવાય

છે. સાંધા પર થોડો સોજો પણ જણાય અને હાથ તથ પગના આંગળા જકડાઈ

જાય. હાડકાં તો સખત હોય પણ જ્યાં બે હડકાનું  જોડાણ હોય ત્યાં   જ્યારે દર્દ

થાય ત્યારે તે રોજિંદા કામકાજ્મા દખલ રૂપ જણાય.

      સાંધાના  પ્રકાર

   જેનું હલન ચલન ન થઈ શકે.

  થોડું હલન ચલન થાય

  સરળતાથી હાલી ચાલી શકે.

   મિજાગરાના સાંધા જેવાકે કોણી, આંગળા

   દડાનો સાંધો (ખભામા)

   લપસણો સાંધો (કલાઈનો)

 બે મણકાની વચ્ચેનો સાંધો

સાંધાનું દર્દ થવાના બે કારણ છે.

૧. આધિજ

૨. વ્યાધિજ

    આધિજ ચિંતાને કારણે.

  વ્યાધિજ નું કારણ ચિંતા નથી.

     ચિંતાને કારણે મસલ્સમાં દુખાવો થાય. બદન ટૂટે વિ.

  વધતી જતી ઉમરને કારણે થતું સાંધાનું દરદ એનું મુખ્ય કારણ

છે શરીરને પહોંચેલો ઘસારો. સ્નાયુ   ઘસાયા હોય. મસલ્સ નબળા

થયા હોય વિ. જેને અંગ્રેજીમા ‘ઓસ્ટિયો આરથ્રાઈટીસ” કહેવાય

છે. ઘુંટણ અને થાપામાં થતો દુખાવો મુખ્ય છે. અગત્યનું કારણ છે

વધતી જતી ઉમર અને તેનાથી થયેલો ઘસારો.

             ‘સંધિવા’ જેનથી સાંધામાં દુખાવો રહે છે. જો તેની સારવાર

સમયસર ન થાય તો સાંધા પર સોજો આવે અને  એકદમ નબળા

કરી નાખે. સ્ત્રીઓમાં આનું પ્રમાણ પુરુષો કરતાં વધારે જણાય છે.

      ઘણા દુખાવા અત્યંત અસહ્ય પણ હોય છે. કરોડરજ્જુમાં એક

જાતનો દુખાવો થાય છે જેને ‘સ્પોન્ડીલીટીસ” કહે છે.

  લક્ષણઃ

  સાંધામાં દુખાવો જેથી હલનચલનમાં પડતી તકલીફ.

  સાંધાના હલનચન મર્યાદિત.

  સોજો સાંધા ઉપર.

  ઠંડીમા અને વહેલી સવારે અસહ્ય વેદના.

  સાંધો  પાસે લાલાશ યા તાવનો અનુભવ.

  સાંધાના દુખાવા પર ઋતુની અસર.

  ચકાસણીઃ

  લોહીની તપાસ.

    એક્સ રે દ્વારા તપાસ

  આરથ્રોસ્કોપી 

  ટીશ્યુ ટેસ્ટ

દવાદારૂથી ઈલાજઃ

 દાક્તરની સલાહ મુજબ દવા અને આરામ.

  જેનાથી દર્દ દબાય છે,

  એન્ટીબાયોટિક્સ.

  તેલનું માલિશ.

  અલટ્રાસાઉન્ડ

  કુદરતીઉપચાર દ્વારા

  યોગ દ્વારા.

 અન્નમય કોષઃ

 સિથિલકરણી વ્યાયામ

સાંધાને ઢીલા કરી સ્થિતિસ્થાપક બનાવે છે. 

 શક્તિવિકાસક સૂક્ષ્મ વ્યાયામ

સાંધાની આજુબાજુની પેશીઓ મજબૂત કરે છે.

લોહીનું ભ્રમણ નિયમિત કરે છે.

યોગના આસન, ક્રિયા અને ખાવાની નિયૈતતા.

પ્રાણમય કોષઃ

પ્રાણનું સંચાલન નિયમમા ન હોય ત્યારે શ્વાસની આવન જાવન

પર અંકુશ નથી રહેતો. પ્રાણાયામ તેને તાલ બધ્ધ ચલાવે છે.

“પ્રાણિક  એનરજાઈઝેશન ટેકનિક” ખૂબ લાભદાયી છે. સૂર્ય અણુ

લોમ વિલોમ, ચંદ્ર અણુલોમ વિલોમ,  યોગિક શ્વાસ, કપાલાભાંતિ

વિ. રાહત આપે છે. શિતકારી, શિતલી અને સદંતા પ્રાણાયામ.

મનોમય કોષઃ

ૐ સાધના, સાયકલિક સાધના, મગજને ખૂબ શાતિ અર્પે છે.

ભક્તિ આનંદની દાતા છે. ધારણા અને ધ્યાન ખૂબ ઉપયોગી

સાબિત થયા છે. જલતા દીવા સમક્ષ યા ‘ૐ’ ની સમક્ષ બેસીને

ધારણા અને ધ્યાન કરવું. શરણાગતિ નો રસ્તો અપનાવવો. જેનાથી

ઘણો ફરક મહેસૂસ થાય છે.

વિજ્ઞાનમય કોષ;

  સંસાર અને ભૌતિકતા પાછળની આંધળી દોટ ધીરી કરવી.

ખુશનુમા વાતાવરણ સારા શરિર ઉપર ચમત્કારિક અસર

ઉપજાવે છે. સંતોષ અને આનંદ જીવનમા સુંદર સ્વાસ્થ્યની

ગુપ્ત ચાવી છે.

આનંદમય કોષઃ

  કર્મયોગ એ ખૂબ અકસીર પૂરવાર થયો છે..

कर्मण्यवाधिकारस्ते मा फलेषुकदाचन

યોગના આસન સંધિવા માટે.

૧. પગના આંગળા એક પછી એક બંને દિશામા ફેરવવા

૨. પાંચેય આંગળા આગળ પાછળ વાળવા.

૩. આખા પગ ગોળ ગોળ ફેરવવા, વાળવા (પંજો)

૪. ઘુંટણમાંથી વાળવા.

૫. ઘુંટણની ઢાંકણી ડાબી અને જંમણી ફેરવવી.

૬. બંને પગ વાળીને પતંગિયાની જેમ ઉપર નીચે કરવા,

૭. કલાઈમાંથી હાથ ઉપર નીચે કરવા અને બંને બાજુ ફેરવવા.

૮. ગળાની બધી કસરત કરવી, ફેરવવાની આગળ અને પાછળ

૯. હાથના આંગળા છૂટા તેમજ સાથે ફેરવવા અને વાળવા.

૧૦. કોણીમાંથી વાળીને ગોળ ફેરવવા.

૧૧. કમર પર બે હાથ રાખી પાછળ વળવું.

૧૨. ખુરશી વગર હવામા ખુરશી પર બેસીએ તેમ બેસવું.

૧૩. બે પગ જમીન પર રાખી બેસવું. વગર ટેકે

૧૪. અર્ધ કટિ ચક્રાસન

૧૫. પાદ હસ્તાસન

૧૬. અર્ધ ચક્રાસન

૧૭. ભુજંગાસન

૧૮. સલભાસન

૧૯. ધનુરાસન

૨૦. સર્વાંગાસન

૨૧. મત્સ્યાસન

૨૨. હલાસન

૨૩. વિપરિત કરણી

૨૪. શશાંક આસન

૨૫. અર્ધમત્સેન્દ્રિયાસન

૨૬; ઉષ્ટ્રાસન

૨૭;  કપાલભાંતિ

૨૮’  વિભાગિય શ્વસન

૨૯ઃચંદ્ર અણુલોમ

૩૦ઃ ૐ ધ્યાન

૩૧ઃ શિતલી, શિતકારી પ્રાણાયમ

૩૨ઃ સદંતા પ્રાણાયામ

૩૩ઃ નાદ અનુસંધાન

૩૪ઃ નાડી શુધ્ધિ પ્રાણાયામ

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.